Showing all 9 results

  • Antane Ahwan!

    240.00

    એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Fiction
    Add to cart
  • Barima Aakhu Aakash

    325.00

    નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more

    By Raam Mori
    Category: Novel
    Add to cart
  • Bhagnpankh

    149.00

    ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક)     * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more

    By Kahlil Gibran, Daksha Vyas
    Category: Fiction
    Add to cart
  • Googlema Madhpoodo

    125.00

    બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે. બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે.... read more

    By Kirit Goswami
    Add to cart
  • Karan Ghelo

    299.00

    સામાજિક અને ધાર્મિક સુધારક શ્રી નંદશંકર મહેતા લિખિત આ કથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા કહેવાય છે. ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ ધરાવતી આ નવલકથાનું પ્રકાશન ૧૮૬૬માં થયું હતું. આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણથી શરૂ થતી આ કથા... read more

    Category: Novel
    Add to cart
  • Kinare Kinare Moti

    250.00

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર વીનેશ અંતાણીનાં સાહિત્યસર્જનમાં પરંપરા, આધુનિકતા, પ્રયોગશીલતા, નગરજીવન, ગ્રામ્યજીવન, સ્ત્રી-પુરુષોના સંબંધોની સંકુલતા અને માનવમનનાં ઊંડાણ આગવી દૃષ્ટિથી નિરૂપાયાં છે. સર્જનાત્મક અને રસાળ ગદ્ય એમનો વિશેષ છે. એમના વિપુલ સાહિત્યરૂપી સાગરના દરેક કિનારે સાચાં મોતી જેવી અનેક મનનીય કંડિકાઓ દરેક પેઢીનાં વાચકો ભરપૂર માણતાં રહ્યાં છે. • વીનેશ અંતાણી રચિત... read more

    By Vinesh Antani
    Category: Quotations
    Add to cart
  • Koroleena

    199.00

    ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more

    By Dr. Kishor Pandya
    Category: Fiction
    Add to cart
  • Manalay

    175.00

      મનની બેરંગી લીલાઓનું દર્શન કરાવતી કથાઃ મનાલય નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈનું વિધાન છે : ‘આપણને જ્યારે ચૂપ કરી દેવાય છે ત્યારે જ આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે.’ આ વિધાનમાં કથાનાયિકા અવધિના મનોજગતનો ચિત્કારી ઊઠેલો મૌન પડઘો છે. કહેવાય છે કે સંબંધના હરિયાળા વૃક્ષને જેટલી હદે પાનખર સૂકવી દેતી... read more

    By Rajni Patel
    Category: Novel
    Add to cart
  • Shwitra

    160.00

    સફેદ પીડાનું ઉપનિષદ સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે. વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું... read more

    By Keshubhai Desai
    Category: Fiction
    Add to cart