Suresh Dalal
10 Books / Date of Birth:- 11-10-1932 / Date of Death:- 10-08-2012
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક હતા.તેમનો જન્મ થાણામાં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ) પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પીએચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ કવિતા માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૦ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો. ૧૯૮૮નો નર્મદ સુવર્ણ ચંદ્રક તેમના પુસ્તક પદધ્વનિ માટે એનાયત કરાયો