ઉર્વીશ કોઠારીગુજરાતી પત્રકાર અને લેખક છે.
તેમનો શાળાકીય અભ્યાસ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદમાંથી પૂર્ણ થયો અને અમદાવાદની એમ.જી. કોલેજ ઓફ સાયન્સમાંથી તેમણે ૧૯૮૭માં વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી. તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં થઈ. ગુજરાતી ભાષાના અનેક સમાચાર પત્રો અને સામયિકો સાથે તેઓ સંકળાયેલા રહ્યાં છે. તેમના ભાઈ બીરેન કોઠારી પણ સાહિત્યકાર છે.
પુસ્તકો :રજનીકુમાર: આપણા સૌના (સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના ષષ્ટીપૂર્તિ ગ્રંથનું સંપાદન, બીરેન કોઠારી સાથે)
નોખા ચીલે નવસર્જન (નવસર્જન ટ્રસ્ટની ૧૨ વર્ષની કામગીરીનું દસ્તાવેજીકરણ)
સરદાર: સાચો માણસ સાચી વાતબત્રીસ કોઠે હાસ્ય (હાસ્યલેખો)
પારિતોષિક:
કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
જ્યોતીન્દ્ર દવે પારિતોષિક (૨૦૦૮)[