Premchand
20 Books / Date of Birth:- 31-07-1880 / Date of Death:- 08-10-1936
પ્રેમચંદ, જન્મે ધનપતરાય શ્રીવાસ્તવ, હિન્દી અને ઉર્દુ સાહિત્યના લેખક, વાર્તાકાર અને સમાજસેવક હતા. તેઓ નવાબરાય અને મુન્શી નામથી પણ ઓળખાય છે. નવલકથામાં તેમના યોગદાનને જોઈ બંગાળના નવલકથાકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમને નવલકથા સમ્રાટ નામથી સંબોધ્યા હતા. પ્રેમચંદ હિન્દી વાર્તા અને નવલકથામાં એક નવી પરંપરાનો વિકાસ કર્યો જેણે આખી સદીના સાહિત્યને માર્ગદર્શન પૂરું પાડ્યું.પ્રેમચંદનો જન્મ કાશી પાસે લમહી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ આનંદદેવી તથા પિતાનું નામ મુંશી અજાયબરાય હતું જેઓ લમહીમાં ટપાલી હતા. તેમના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસીથી થયો.૧૩ વર્ષની ઉંમરે  તેમણે તિલિસ્મે-એ-હોશરૂબાનો અભ્યાસ કરી લીધો અને ઉર્દુના પ્રખ્યાત રચનાકાર રાતનનાથ સરશાર , મિર્ઝા રુસવા અને મૌલાના શરરની નવલકથાઓનો પણ અભ્યાસ કર્યો.ઇ.સ. ૧૮૯૮માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. ઇ.સ.૧૯૧૦માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. ૪૦ વર્ષની ઉંમરમાં ૧૯૧૯માં બી.એ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઈન્સ્પેકટર પદ પર નિયુક્ત થયા. પરંતુ પાછળથી ગાંધીજીના કહેવાથી તેમણે નોકરી છોડી દીધી.પ્રેમચંદનું જીવનચરિત્ર એમના પુત્ર અમૃત રાયે 'પ્રેમચંદ : કલમ કા સિપાહી' શિર્ષકથી લખેલ છે.પ્રેમચંદ આધુનિક હિન્દી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ તરીકે ઓળખાય છે. તેમના સાહિત્યિક જીવનનો પ્રારંભ ઇ.સ. ૧૯૦૧માં થયો. તેમણે રફતાર-ઇ-જમાના ઉર્દુ સામયિકમાં માસિક કોલમ લખીને પણ યોગદાન આપ્યું હતું.પ્રેમચંદે હિન્દી સાહિત્યમાં યથાર્થવાદની શરૂઆત કરી. ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય અને નારી સાહિત્યના મૂળ પ્રેમચંદના સાહિત્યમાં જોવા મળે છે.તેમણે વિવિધ નવલકથાઓ લખી જેમાં ‘રૂઠી રાની’ એક લોકપ્રિય નવલકથા હતી. ત્યારબાદ ‘કૃષ્ણ’ , ‘વરદાન’ , ‘ પ્રતિજ્ઞા’ પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ ‘સેવાસદન’(૧૯૧૬), પ્રેમાશ્રમ( ૧૯૧૮થી ૧૯૨૨માં), નિર્મલા તથા ગોદાન(૧૯૨૭માં) પ્રકાશિત થઈ હતી. તેમની અધૂરી નવલકથા’ મંગલસૂત્ર’ છે.તેમણે હિન્દી સાહિત્યમાં કેટલાક વાર્તાસંગ્રહ આપ્યા. તેમની બધી વાર્તાઓ ‘માનસરોવર ભાગ ૧ થી ૮’ સ્વરૂપે પ્રગટ થયો. તેમની વાર્તાઓમાં નગર જીવન અને સામાન્ય લોકોના પ્રસંગનું આલેખન જોવા મળે છે. નવલકથા અને વાર્તાઓ ઉપરાંત તેમણે નાટકોમાં પણ યોગદાન આપ્યું. ‘સંગ્રામ’(૧૯૨૩), ‘કાબિલ' (૧૯૨૪) અને ‘પ્રેમ કી વેરી’ તેમના નાટક છે. તેમણે કુલ ૧૫ નવલકથા, ૩૦૦થી વધારે વાર્તાઓ, ૩ નાટક , ૧૦ અનુવાદ , ૭ બાળ પુસ્તકો તથા હજારો પૃષ્ઠના ભાષણ અને પત્ર વગેરે લખ્યું.પ્રેમચંદ ૮ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ અવસાન પામ્યા હતા. અવસાનના ૬ મહિના પહેલા તેઓ લખનૌમાં યોજાયેલ વાર્ષિક અધિવેશન 'ઇન્ડિયન પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિયેશન' (ભારતીય પ્રગતિશીલ લેખક મંડળ)ના અધ્યક્ષ પણ બન્યા હતા

Showing all 20 results