ડૉ. પ્રશાંત ભીમાણી દેશના સુપ્રસિદ્ધ સાઇકોલોજીસ્ટ છે. હિપ્નોથેરેપિસ્ટ, કાઉન્સેલર અને રિલેશનશીપ એક્સપર્ટ તરીકે મનોચિકિત્સાના ક્ષેત્રમાં છેલ્લાં પચ્ચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરે છે. અમેરિકન સાઈકોલોજીકલ એસોસિયેશનના સભ્ય એવા ડૉ, ભીમાણી યુ.કે.ની પ્રતિષ્ઠિત ‘ધ બ્રિટિશ સાઇકોલોજીલ સોસાયટી' તરફથી ‘ચાર્ટર્ડ સાઈકોલોજીસ્ટ' તરીકે પસંદ થયેલ છે, જે ગુજરાતનું ગૌરવ છે.