ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે.
– ડીરીટુ વાહોમ (લેખક)
*
વિશ્વવિખ્યાત સર્જક ખલિલ જિબ્રાન દ્વારા રચિત The Broken Wings – World Classic ગણાય છે. આ એક એવી કૃતિ છે જે સીધી વાંચી નથી જવાની… તમારે એને મમળાવવી પડે છે.
‘ભગ્નપંખ’ આમ તો એક સીધીસાદી પ્રણયકથા છે. એ એક યુગલના પ્રણયજીવનની કરુણિકા છે. એવું કહેવાય છે કે ‘ભગ્નપંખ’ હકીકતમાં જિબ્રાનની આત્મકથા છે. અહીં એ પોતાના જીવનની કરુણિકા દ્વારા યુવામિત્રોને દર્દભરી અપીલ કરે છે. તે સાથે પોતાની પ્રેમિકા પ્રત્યેની અનન્ય પ્રીતિનો એકરાર પણ કરે છે.
આ ભાવાત્મક કથા વાચકને સ્તબ્ધ-મૂક બનાવી દે એટલી બળવાન છે. હૈયું બેસી જાય એવા ઘેરા કરુણની એ છાયા મૂકી જાય છે. મુગ્ધ અને પવિત્ર પ્રીતિને જિબ્રાન અહીં જે ઊંચાઈએ મૂકી આપે છે તે અનન્ય છે.
ભાવકને મંત્રમુગ્ધ કરવાની કલાકૃતિની ક્ષમતા અહીં પ્રગટે છે.























Be the first to review “Bhagnpankh”
You must be logged in to post a review.