ડો. નિરંજન રાજ્યગુરુ (૨૪ ડિસેમ્બર ૧૯૫૪) ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં ઘોઘાવદર ગામમાં સત નિર્વાણ ફાઉન્ડેશનના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.
તેમણે દાસી જીવણના ભજનો પર પીએચ.ડી. કર્યું છે.
પુસ્તકો:
ભજન મીમાંસા
રંગ શરદની રાતડી
સંતવાણીનું સત્વ અને સૌંદર્ય
બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના
મૂળદાસજીનાં કાવ્યો
પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો
સંધ્યા સુમિરન
આનંદનું ઝરણું
સંતની સરવાણી
સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય