1 Book / Date of Birth:-
10-03-1920 / Date of Death:-
12-07-1920
નગીનદાસ સંઘવી (૧૦ માર્ચ ૧૯૨૦ - ૧૨ જુલાઈ ૨૦૨૦) ગુજરાત, ભારતના રાજ્યશાસ્ત્રના અધ્યાપક, લેખક અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના ખૂબ જ લોકપ્રિય કટારલેખક હતા. તેઓ ગુજરાતી સામાયિક ‘ચિત્રલેખા’, ‘દિવ્ય ભાસ્કર’ વગેરેમાં રાજકીય કટાર લખતા હતા. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેમણે શિક્ષણ ત્યાં જ મેળવ્યું હતું. શિક્ષણ પૂરું થયા પછી તેણે રૂ. ૩૦ના માસિક પગાર પર એક જાહેરાત કંપનીમાં ટાઇપિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરી. બીજી ઘણી નોકરીઓ પછી તેણે શિક્ષણ તરફ વળ્યા. તેઓએ તેમની શૈક્ષણિક કારકિર્દી (1951-80) ભવન્સ કૉલેજ, અંધેરીથી શરૂ કરી હતી. પછીથી તેઓ રૂપારેલ કૉલેજ, માહીમ અને મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં રાજ્યશાસ્ત્ર ભણાવતા હતા. કૉલેજમાં ભણાવતી વખતે તેમણે સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. તેઓ ‘નગીનબાપા’ તરીકે જાણીતા હતા. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં કુલ ૨૯ પુસ્તકો લખ્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે તેમને ભારતનો ચોથો સર્વોત્તમ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ 2019માં મળ્યો હતો. તેમને વજુ કોટક ગોલ્ડમેડલ પણ મળ્યો હતો.