Dr. Kanubhai Gordhandas Joshi
1 Book / Date of Birth:- 30-05-1946
ડૉ. કનુભાઈ ગોરધનદાસ જોષી જન્મ તા : 30-05-1946, પ્રાંતિજ, સાબરકાંઠા શિક્ષણ (બી.એસસી; એમ.ઍડ્. (ગૉલ્ડ મેડાલીસ્ટ), પીએચ.ડી.,) શાળાકીય શિક્ષણ શેઠ. પી. ઍન્ડ. આર. હાઈસ્કૂલ પ્રાંતિજ તથા માય ઑન હાઈસ્કૂલ, હિંમતનગર, સાબરકાંઠા. ઉચ્ચશિક્ષણ : તલોદ સાયન્સ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટી, વલ્લભ-વિદ્યાનગર યુનિવર્સિટી શિક્ષણ કાર્ય * માધ્યમિક શિક્ષક : ગણિત-વિજ્ઞાન * ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તથા પ્રિન્સિપાલ : ભૌતિક વિજ્ઞાન, એન.આર.એ. વિદ્યાલય, ભિલોડા, સાબરકાંઠા. * પ્રિન્સિપાલ : પી.ટી.સી. કૉલેજ, શામળાજી, ઉત્તર ગુજરાત. * રિસર્ચ મૅથડૉલૉજી લેક્ચરર, ચૌધરી એમ.ઍડ્. કૉલેજ, ગાંધીનગર. માતા-પિતા પિતા : ગોરધનદાસ મગનલાલ જોષી (પ્રાંતિજ, સાબરકાંઠા) અમદાવાદમાં કેલિકો મિલના સુપરવાઇઝર. માતા : લીલાવતીબહેન જેઠાલાલ જોષી (હિરપુરા, મહેસાણા), આદર્શ ગૃહિણી, પ્રેમાળ માતા. સામાજિક સેવા શામળાજી પ્રદેશ-અરવલ્લી જિલ્લાના વનવાસી ક્ષેત્રમાં દુષ્કાળ સમયે સેવાકાર્ય, ધર્મ જાગરણ તથા રાષ્ટ્રીય ભક્તિ માટે પ્રેરણા-માર્ગદર્શન. શ્રીરામજન્મભૂમિ પ્રથમ સેવાકાર્ય ઝાંસીથી તથા દ્વિતીય સેવાકાર્ય અયોધ્યાથી. પ્રથમ સંઘ શિક્ષાવર્ગ-વસો તથા સંઘ સેવાકાર્યો. લેખનકાર્ય પ્રથમ પુસ્તક – A Guide Book of Yatradham Kailashpuri ISHTDEV SHREE EKLINGJI MEVAD, (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ત્રણેય ભાષામાં લખાયેલ એકમાત્ર આલ્બમ). * વિશ્વસંવાદ કેન્દ્ર અમદાવાદ, ગુજરાત, સંપાદક : સંવાદ સમાચાર, `સંકલન શ્રેણી' પાક્ષિકમાં લેખક. * વિચારભારતી પત્રિકામાં શિક્ષણદર્શન કૉલમિસ્ટ. * સાધના સાપ્તાહિકમાં લેખનકાર્ય.

Showing the single result