હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક છે. તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે. એમણે ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘જીવનનો રીયાઝ’ (૨૦૧૦), અને ‘ઝાકળ ને તડકાની વચ્ચે’ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેઓ ગુજરાતી તથા ઉર્દૂ ભાષાઓમાં ગઝલોની રચના કરે છે. ‘કન્દીલ’ એમનો ઉર્દૂ શાયરીઓનો સંગ્રહ છે. ‘સરગોશી’ (૨૦૦૬) એ કંદિલ પછીનો ગઝલ સંગ્રહ છે.