ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના... read more
અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો... read more
પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી...’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન... read more
લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more










