સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
દિલ્હીના સીમાડે અવાવરું જગાએ એક માણસની લાશ મળી આવે છે. લાશની બાજુમાં પથ્થર પર લોહીથી લખેલું હોય છે. ‘...કારણ કે ઈશ્વર ક્યાંય નથી!’ કરોડોપતિ બિઝનેસમૅનની બર્બરતાપૂર્વક કરાયેલી હત્યાને કારણે રાજધાનીમાં ખળભળાટ મચી જાય છે. ઇન્સ્પેક્ટર ઇબ્રાહિમ ખાનની આગેવાનીમાં પોલીસ તપાસ શરૂ કરે છે. મૃતકનાં પરિજનો, મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સ શંકાના... read more
મુંબઈના પોશ વિસ્તારમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હીરોઇન નિશા નારંગના લક્ઝુરિયસ પેન્ટહાઉસની ટૅરેસમાં કૉકટેલ પાર્ટી ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત સફળ વ્યક્તિઓ ડ્રિન્ક્સ લેતાં લેતાં જાતજાતની ગૉસિપ તથા હસીમજાક સાથે પાર્ટી માણી રહી છે. બૉલિવૂડની એ પાર્ટી બરાબર જામી હોય છે ત્યારે અચાનક એક અણધારી ઘટના બને છે, જે... read more
સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
મુલ્લા નસરૂદ્દીન જુવાન હતો. ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. ત્યાં પત્નીની સાથે ગયો. નવાં નવાં પરણેલાં હતાં ને ઠેકઠેકાણે ફરવાનો ખ્યાલ હતો. પ્રદર્શનમાં ઘણાં કીમતી ચિત્રો હતાં. એક ચિત્ર પાસે નસરૂદ્દીન રોકાઈ ગયો. પત્ની પણ સાથે હતી. ચિત્ર એક નગ્ન સ્ત્રીનું હતું – અતિ સુંદર અને નગ્નતા, બસ થોડાંજ બે-ચાર પાંદડાંથી... read more
ખડખડાટ હસાવતી સદાબહાર જુગલજોડીની અનોખી બાળવાર્તાઓ સોટી અને પોઠી. ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો. ગુજરાતી ભાષાની એક આખી પેઢી આ ક્લાસિક પુસ્તકો વાંચીને મોટી થઈ છે. બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમનાં મનમાં બાળપણથી જ ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ રમતી હોય છે. એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને... read more






