શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more
અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું... read more
શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત... read more
ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી અસંખ્ય વાચકોએ વધાવેલી ગુજરાતી પ્રશિષ્ટ નવલકથા પ્રિયજનની સીમાચિહ્નરૂપ વીસમી સંવર્ધિત આવૃત્તિ * આ વિશેષ આવૃત્તિમાં પહેલી વાર પ્રિયજનના પૂર્વ-અવતાર માલીપા રેડિયોનાટકની સ્ક્રિપ્ટ અને નવલકથાની હસ્તપ્રતનાં પહેલાં બે અને છેલ્લાં બે પાનાંની છબિ. * દરેક વયજૂથના વાચકોએ પ્રિયજનને આપેલા અભૂતપૂર્વ પ્રેમે સાહિત્યિક નવલકથાની લોકપ્રિયતાના માપદંડ બદલી... read more
You cannot copy content of this page