હરિ દાદાજી સાથે હતો ત્યાં સુધી એની ઉંમર વધતી નહીં અને ઘટતી નહીં. એક ક્ષણે એ વર્તમાનમાં હોય, બીજી ક્ષણે ભૂતકાળમાં. દાદાજી એને સમયના નવાનવા કાંઠે લઈ જતા. એ દાદાજીનો કાંઠો હતો અને ન હતો. એ હરિનો કાંઠો ન હતો છતાં હતો. બંને એક એવા દરિયા સામે ઊભા રહેતા, જે... read more
“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more
જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે. સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, 1859ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને... read more
સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
કાળા સૂરજના રહેવાસી જૂલે વર્ન વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલૅન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની... read more




