જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે.
સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, 1859ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને છે. અહીં કથાનાયક જ નહીં, એના ખલનાયકો પણ આશા અને નિરાશા વચ્ચે ઝોલાં ખાતા માનવો તરીકે જ રજૂ થયા છે. નસીબનું લોલક પળભર ખલનાયકને પક્ષે નમતું દેખાતું હોય, તો બીજી જ પળે નાયકને પણ ધ્યેયસિદ્ધિ હાથવેંતમાં જણાતી હોય છે.
જૂલે વર્ને લખેલી આ છેલ્લી કથામાં વાચકને શરૂથી અંત સુધી જકડી રાખવાની ક્ષમતા છે.
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Light House”