દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે... read more
જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય, એવું બને ત્યારે પ્રશ્ન થાય કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી? ……………………
મુલાયમ અને માધુર્યસભર મહાનવલ ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ... read more
નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર મટતી નથી. પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી અપર્યાપ્તતા અનુભવે છે. ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી કરોડો જોજન દૂર હોય તેથી શું! એ દીવાનું અજવાળું પણ એ સૂરજનું જ ફરજંદ છે અને સૂરજમાં સમાઈ જવાની... read more
You cannot copy content of this page