“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more
સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
કાળા સૂરજના રહેવાસી જૂલે વર્ન વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલૅન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more



