વાર્તાની કેન્દ્રવર્તી ક્ષણ પકડીને સહજ રીતે વિકસાવી એનો કલાત્મક અંત લાવવામાં રાઘવજી માધડની વાર્તામાં કલાસૂઝ અને શક્તિનાં દર્શન થાય છે. મણિલાલ હ. પટેલ (‘સંબંધ’ સંગ્રહની પ્રસ્તાવનામાંથી, 1999) લેખકના વિશાળ અનુભવજગત અને માંહ્યલી સંવેદનાઓ થકી ઝબકારો આપી જતી આ વાર્તાઓ તેના ગ્રામીણ પરિવેશ, તળપદી બોલી અને સાચકલી પીડાથી છલકાતાં પાત્રોના... read more
આ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ટૅક્નૉલૉજીનો યુગ છે. વિશ્વ નાનકડા મોબાઇલમાં સમાઈ ગયું છે. આ હાઇટેકની જનજીવન પર ભારે અસર જોવા મળે છે. દરેક ક્ષેત્રોમાં ઝડપ ને હરીફાઈ વધી. તેમાં ટકી રહેવા માણસ પ્રતિબદ્ધ થવા કરતા વધુ કટિબદ્ધ બન્યો. માણસની કાર્યશૈલી-જીવનરીતિ બદલાઈ. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયાં. શાશ્વત મૂલ્યો પણ ઘસાયાં... read more
અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ) રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
કલ્પના કરો : તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા-ચાનો આનંદ માણી રહ્યાં છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની હેડલાઇન તમારું ધ્યાન ખેંચે છે – શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયાં છે. તેઓ શહેરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા પેદા કરી રહ્યાં છે. કદાચ તેઓ... read more
પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના... read more











