દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા - જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો... read more
તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઈ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય? આ વ્યક્તિ... read more
વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં... read more
You cannot copy content of this page