1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more
‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એ જાણવા માટે અચૂક... read more
અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more
વાતને વળ ચડાવીને કહેવાની કળા શાહબુદ્દીન વાત કહેતા હોય ત્યારે તમને ક્યાંય એવું ન લાગે કે એ રમૂજનાં થીંગડાં મારે છે. હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે.... read more
નવેમ્બર, 26, 1922. પાંચ પાંચ વરસથી ઇજિપ્તમાં નાઇલ નદીની પશ્ચિમે આવેલ મૃતકોની (ખીણ) (Valley of Dead)માં એક મૃત ફેરોની કબરની શોધ કરી રહેલ બ્રિટિશ પુરાતત્ત્વશાસ્ત્રી હાવર્ડ કાર્ટરે એક કબરના દરવાજામાં કરવામાં આવેલ બાંખામાં મીણબત્તી ધરી. એ વખતે હાવર્ડ કાર્ટરને નહોતી ખબર કે એણે ઇજિપ્તના ઇતિહાસનાં કેટલાંક એવાં ખોવાયેલાં પાનાં શોધી... read more
આપણા જીવનમાં સહુથી મોટું દુઃખનું કારણ અજ્ઞાનતા જ છે. જીવનમાં ઘટતી નાની-મોટી ઘટનાઓમાં યથાર્થ જ્ઞાન નહીં હોવાથી આપણે અટવાયા કરીએ છીએ. આંધળો અને અજ્ઞાની બેઉ સરખા દુઃખી હોય છે. સ્થાવર મિલકત બાબતે મારી 45 વર્ષની પ્રૅક્ટિસમાં મેં જોયું છે કે સ્થાવર મિલકત સંબંધી નાની-નાની બાબતોમાં કાયદાકીય અજ્ઞાન પ્રવર્તે છે, જેમાં... read more
You cannot copy content of this page