અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
















