અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે `બૌદ્ધિક ખોરાક' કહ્યો છે. પ્રવાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું દરેક સ્થળ તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતા અને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. દરેક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. પ્રવાસના માધ્યમથી જ તે... read more
સંપત્તિનું સર્જન 19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા 1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના... read more
જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે.... read more












