Kantibhai Prajapati (Dr.)
2 Books / Date of Birth:- 01-01-1964
ડૉ. કાન્તિભાઈ પ્રજાપતિ પ્રાંતિજ (સાબરકાંઠા)નાં વતની છે. તેમણે એમ.એ., પીએચ.ડી.(સંસ્કૃત)માં અભ્યાસ કરેલ છે. તેઓ સંસ્કૃત વિભાગાધ્યક્ષ શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ, સાબરકાંઠા ખાતે સેવા બજાવી રહ્યા છે. ‘मार्कण्डेय पुराण-एक परिशीलन’, ‘संस्कृत साहित्य का ईतिहास’, ‘वि के प्रसिद्ध दार्शनिक विचारक’, ‘સુભાષિતરત્ન’, ‘ઉદ્ઘોષક’ અને શ્રેષ્ઠ વકતા બનો એ એમના પુસ્તકો છે. તદુપરાંત ‘સ્વપ્નવાસવદત્તમ્’ (ભાસ), ‘રઘુવંશ’ (કાલિદાસ), ‘સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ’, ‘માલવિકાગ્નિમિત્રમ્’ (કાલિદાસ), ‘કાવ્યપ્રકાશ’ (મમ્મટ), ‘સંસ્કૃત સાહિત્યમાં દેવી શક્તિ’ એ એમના સંપાદનો છે.

Showing all 2 results

  • Sabha Sanchalan Ni Magic Key

    150.00

    દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ‘મારી વાત કોઈ સાંભળે અને સ્વીકારે!’ તમે પણ આવું ચોક્કસ ઇચ્છતા હશો,. પણ આવું ક્યારે બને? જ્યારે તમારી વાત દ્વારા તમે એવું વાતાવરણ ઊભું કરો, જેમાં તમારા શબ્દમાં, અવાજમાં અને રજૂ થતા વિચારમાં સામેની વ્યક્તિને પોતાની લાગણીઓ કે વિચારોનો પડઘો સંભળાતો હોય! ઇચ્છિત... read more

    Category: Self Help
    Add to cart
  • Soneri Suvakyo No Khajano

    175.00

    આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો! વિચારોની શક્તિ અને... read more

    Category: Quotations
    Add to cart