દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more
લાગણીને કિનારે માણસમાત્ર સરખાં છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસજાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદનાઓ-સંવેદનાઓ તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી આવી છે.... read more
જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું! ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી' વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા' સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી... read more
You cannot copy content of this page