રમણીક અગ્રાવતનો જન્મ આંબરડી (અમરેલી) ખાતે થયો હતો. 1978માં બી.એસ.સી. (કેમેસ્ટ્રી) સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, ભાવનગર ખાતે કર્યું. GNFC ભરૂચમાં 1979-2015 સુધી કેમિકલ પ્લાન્ટ ઓપરેશન. 2015 ડિસેમ્બરમાં મેનેજર તરીકે નિવૃત થયા. ‘ઊભી રહે હે પૃથ્વી’ના નામે એમણે પાબ્લો નેરુદાનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. ‘કુમારજીવ’ કુંવરનારાયણનાં પ્રબંધકાવ્યનો અનુવાદ છે. એમણે કવિતા ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે. તેમને ચૂનીલાલ મડિયા વાર્તા પુરસ્કાર અને શ્રેષ્ઠ ગદ્યકાવ્યપુરસ્કાર (ગદ્યસભા-ભાવનગર) મળેલ છે.