Manisha Manish (Dr.)
1 Book
ડૉ. મનીષા મનીષ 25 વર્ષથી મૅનેજમૅન્ટના પ્રોફેસર છે અને મૅનેજમૅન્ટના વિષય ઉપર Ph.D. કર્યું છે. એમનાં માર્ગદર્શન હેઠળ Ph.D. કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નથી. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમનું પ્રદાન વખણાયું છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારના વિષય ઉપર લખાવેલી આ સૌ પ્રથમ નવલકથા છે. તેઓ ગુજરાતનાં આશાસ્પદ લેખક તથા અસરકારક વક્તા છે. ડૉ. મનીષા મનીષે ગુણવંત શાહનાં બે પુસ્તકોઃ ‘મરો ત્યાં સુધી જીવો’ અને ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’નું દૃષ્ટિવંત સંપાદન કર્યું છે. તેથી બંને પુસ્તકો બેસ્ટસેલર બની શક્યાં છે. તેમણે અને શ્રી ગુણવંત શાહે મળીને લખેલું પુસ્તક The Boss ગુજરાતી ભાષામાં મૅનેજમૅન્ટ ઉપરનું માઇલસ્ટોન પુસ્તક ગણાય છે.
View cart “Hum Honge Kamyaab” has been added to your cart.