9 Books / Date of Birth:-
30-09-1939 / Date of Death:-
19-03-2017
મોદી ચિનુ ‘ઇર્શાદ’ નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને કવિ હતા. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. 1968માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. 1961 થી 1964 સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. 1965 થી 1975 સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. 1975 થી 1977 સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર તરીકે સેવા બજાવેલી. 1977થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને ‘હોટેલ પોએટ્સ ગ્રુપ’ ઍસોસિએશનના તંત્રી તરીકે કાર્યરત. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારોથી તેમણે નવાજવામાં આવ્યા છે.
View cart You cannot add that amount to the cart — we have 1 in stock and you already have 1 in your cart.