ભાવિન ગોપાણી એ ગુજરાતી ભાષાનાં કવિ છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ઉંબરો (2016) અને ઓરાડો (2016), ગઝલોનો સંગ્રહ શામેલ છે. ઈન્ડિયન નેશનલ થિયેટર, મુંબઇએ તેમને ગુજરાતી ગઝલમાં ફાળો આપવા બદલ 2016 માં તેમને શાયદા એવોર્ડથી નવાજ્યા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો.તેમણે 2011 માં ગઝલ લખવાનું શરૂ કર્યું અને 2013 માં પ્રથમ વખત ગુજરાતી ભાષાની દ્વિમાસિક સામયિક કવિતામાં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ, તેમની કવિતાઓ કવિલોક, ગઝલવિશ્વ, ધબક અને પરબ સહિતના ઘણા ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઈ.