શ્રી બળવંતરાય ઉમિયાશંકર દીક્ષિત શિક્ષક હતા. વિદ્યાપુરુષ એવા શ્રી દીક્ષિત સાહેબ શાળા માટે, તેમના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા રહ્યા. આજે પણ સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શિક્ષણમાં યજ્ઞપુરુષની જેમ અર્પણ કરતા જ રહે છે. શિક્ષણક્ષેત્રે એમનું સૌથી વિશિષ્ટ પ્રદાન ‘વિજ્ઞાન-કલબ’ની પ્રવૃત્તિના આદ્યસ્થાપક(1955) તરીકેનું છે.
ઊગતી પેઢીના બાળકોને સમજાય અને રસ પડે તે રીતે ખગોળશાસ્ત્રનો તેમનો અભિગમ એક શિક્ષકને છાજે તેવો અને શિક્ષકની વર્ગખંડમાં ભણાવવાની આકર્ષક, રસિક અને નાવીન્યસભર પદ્ધતિને અપનાવવાની અંગુલિનિર્દેશ કરે છે.
View cart “Mari Yurop Ni Ane Mayrekal Kruz Ni Yatra” has been added to your cart.