`મીરાં યાજ્ઞિકની ડાયરી’ નવલ આપણી ચેતનાને અનેક રીતે ઝંકૃત કરે છે, વિસ્તારે છે. મીરાં નખશિખ સંવેદનશીલ અને એટલી જ બૌદ્ધિક છે. સતત એની શોધ રહી છે નિર્ભેળ સૌંદર્ય અને પ્રેમની. આ શોધ માટે એ સ્વ-ને બચાવ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વથી પૂરા પરિવેશ, વિવિધ પાત્રો અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરે છે. સંવેદનાના... read more
અહીં ગણિત છે! અહીં Magic છે! અહીં Fast કેલ્ક્યુલેશન્સ છે… તમે જાણો છો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તમારે ગણિત અને ગણતરીઓની જરૂરિયાત આજીવન અને સતત રહેવાની જ છે. અને દર વખતે કોઈ પણ ગણતરી માટે સાધનની મદદ લેવી જ પડે એ સ્થિતી સારી ન કહેવાય. આ પુસ્તક વેદિક... read more
નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે... read more
લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more
૧૦ મે, ૧૮૫૭ના દિવસે મેરઠમાં અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી. પાઠ્યપુસ્તકોમાં ૧૮૫૭ના વિદ્રોહ વિષે આપણે વાંચ્યું છે પણ ખરેખર શું બન્યું હતું તે આ પુસ્તકમાં સરળ ભાષામાં રજૂ કરાયું છે. નવલકથાની શૈલીમાં આ ઘટનાક્રમનો તટસ્થ ચિતાર આપતું પુસ્તક – ’૧૮૫૭’. આ વિદ્રોહને નવી નજરે જોવાનો એક પ્રયાસ છે.
You cannot copy content of this page