કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે. કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ. ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી! પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ! ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી ! મનુષ્યે... read more
મારા તાબામાં હોય એટલી નમ્રતા એકઠી કરીને જવાબમાં એક જ વાત કરવાની ગુસ્તાખી કરું છું. મને યુનિવર્સિટીના કેમ્પસ પર અમથાં અટવાતાં અને હૉસ્ટેલોમાં સડતાં જુવાનિયાનું `ચચરે’ છે. ભારતના લોકાત્માની શોધ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોના સેવન વગર; અધૂરી જ ગણાય. વાલ્મીકિ અને વ્યાસથી સાવ અજાણી રહી ગયેલી આજની પેઢીનાં જુવાનિયાં... read more
You cannot copy content of this page