Vijay Shastri
1 Book / Date of Birth:-
10-08-1945
વિજય રમણલાલ શાસ્ત્રી એ ગુજરાતી ભાષાના એક લઘુકથા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક છે. તેઓનું શિક્ષણ સુરતની એમ. ટી. બી. આર્ટસ્ કૉલેજમાં થયું, અને તેઓ ત્યાં જ કાર્યરત હતા અને તેમણે વિવેચનો ઉપરાંત બસોથી વધુ ટૂંકી વાર્તાઓ પણ લખી છે.શાસ્ત્રી ખાસ કરીને તેમની તકનીકોમાં એક પ્રાયોગિક વાર્તા લેખક છે. તેમણે ગુજરાતી ભાષામાં કુલ ૨૦૦ થી વધુ ટૂંકી વાર્તાઓ લખી છે. મહાકવિ દાંતે: જીવન અને કવન (૧૯૭૦) એ દાંતે અલીગિરી અને તેમની કૃતિઓ ડિવાઇન કોમેડી અને ધ ન્યુ લાઇફ પરની વિવેચનાત્મક કૃતિ છે. ૧૯૭૬ માં, તેમણે ઉદ્ગાર પ્રકાશિત કર્યો જેમાં તેમનો યુરોપિયન તેમ જ ભારતીય ચિંતકો જેવા કે આલ્બેર કેમ્યૂ, જ્યોર્જ બેર્નાર્ડ શો, એન્ટન ચેખોવ, કાલિદાસ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા લેખકોનો અભ્યાસ શામેલ હતો. તેમણે ગુજરાતના ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ (૧૯૮૭), સાહિત્ય સિદ્ધાંતો (સહ-લેખિત, ૧૯૮૯) અને વિષયાંતર (૨૦૧૧) સંપાદિત કર્યા. તેમની ટૂંકી વાર્તા "ના ધર્મે લબ્ધાકામાનો મુસદ્દો" ટેલિવિઝન પર મનસુખકાકાનો મુસદ્દો નામે પ્રદર્શિત આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાસ્ત્રીને તેમના મહાનિબંધ (૧૯૯૫), ખાલી ખાલી આવો (૨૦૦૧) અને ત્રેપનમો જાણ્યે પાર (૨૦૦૨) માટે ઇનામ આપવામાં આવ્યા હતા.
View cart “Guru” has been added to your cart.