![](https://rrsheth.com/wp-content/uploads/2021/07/WhatsApp-Image-2021-07-03-at-12.19.34-PM.jpeg)
Sukani
1 Book / Date of Birth:-
25-09-1896 / Date of Death:-
22-09-1958
ચંદ્રશંકર અમૃતલાલ બુચ (સુકાની ) વિદ્વતા, બુદ્ધિ પ્રતિભા, બહુશ્રુતતા, કાર્યદક્ષતા, અને સર્જનશીલ વ્યક્તિત્વના ધની હતા. સંસ્કૃત ભાષા સાહિત્ય સાથે બી.એ. થઈ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઇમાં સંસ્કૃત-અંગ્રેજી ભાષાનું અધ્યાપન કર્યું. તેઓ ભગવદગીતા પાઠશાળામાં અધ્યાપક તરીકે માનદ સેવાઓ આપતા હતા. તથા સિંધિયા સ્ટીમનેવીગેશન કંપનીમાં મેનેજર તરીકે પણ સેવાઓ આપેલી. તેઓ ‘ચેતન’ માસિકના તંત્રી અને ‘નાગરિક’ ત્રૈમાસિકના સહતંત્રી, યુનો દ્વારા રચાયેલ વહાણવટા વિષયક સમિતિઓમાં નિષ્ણાત-સલાહકાર તરીકે કામગીરી કરેલી. તેઓને 1956માં ‘કુમારચંદ્રક’ એનાયત થયેલો.
View cart “Param Samipe” has been added to your cart.