ઋષિકેશ રાવલ સાથે એક પછી એક વિશેષણો જોડાતાં જાય છે. તેઓ એક સારા અભિનેતા, નાટ્યલેખક, નાટ્યવિવેચક, મધ્યકાલીન તથા સંતસાહિત્યના સંશોધક-સંપાદક અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક છે. એમણે આઠેક પુસ્તકો આપ્યાં છે જે વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થઈ પોંખાયા પણ છે. તેઓ ‘ગુજરાત સમાચાર' દૈનિકની બુધવારની ‘શતદલ' પૂર્તિમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિસમીક્ષાઓ વિશે કૉલમ લખતાં રહ્યાં છે.
View cart “Adhogatinu Mul Varnavyavastha” has been added to your cart.