સમગ્ર દેશની જ્યોતિષીઓની જમાતમાં જ્યોતિષ માઈન્ડ મોહનભાઈ પટેલ, આચાર્ય પરાશરના નામે જાણીતા છે. તેમણે જ્યોતિષશાસ્ત્રના સૌથી વધુ ગ્રંથોની રચના કરી છે. તેમણે ‘બૃહદ ગુજરાત એસ્ટ્રોલોજિકલ સૌસાયટી’ની ગુજરાતમાં સ્થાપના કરેલ છે. છેલ્લા અઢી દાયકાથી ઑલ ઈન્ડિયા એસ્ટ્રોલોજર્સ ફેડરેશનના અધ્યક્ષપદ પરથી જ્યોતિષશાસ્ત્રની અનેરી સેવા કરી રહ્યા છે. તેમણે વેદાંગ જ્યોતિષ મહાવિદ્યાલયના નેજા હેઠળ 10,000 જેટલા જ્યોતિષશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે. જ્યોતિષશાસ્ત્રનો કોઈપણ વિષય હોય પછી તે ભારતીય જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, અંકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ યોગશાસ્ત્ર આવા દરેક વિષયો ઉપર તેમની રચનાઓ જ્યોતિષશાસ્ત્રમાં લોકપ્રિય નીવડી છે.
View cart You cannot add that amount to the cart — we have 1 in stock and you already have 1 in your cart.
View cart “Prem Na Aansu” has been added to your cart.