Kantilal B. Vyas
1 Book / Date of Birth:-
21-11-1910 / Date of Death:-
23-03-1991
કાંતિલાલ બલદેવરામ વ્યાસ ગુજરાતી ભાષાશાસ્ત્રી, વિવેચક અને સંપાદક હતા. તેમણે ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં ભાષાવિજ્ઞાન, ભાષા, વૃત અને કાવ્યાલંકાર, ગુજરાતી ભાષાનો ઉદગમ, ગુજરાતી ભાષાની ઉત્પત્તિ, વિકાસ અને સ્વરૂપ અને ભાષા સંશોધન સહિત અનેક કૃતિઓ પ્રકાશિત કરી. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હેમપુરા ગામમાં થયો હતો. તેમણે ડી.લીટની ડિગ્રી મેળવી. ભાષાવિજ્ઞાન અને જૂના ગુજરાતીના સંશોધન માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 1968 માં તેમણે ડી. લિટ.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
તેઓ ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને જૂના અને મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના વિદ્વાન હતા. તેમણે અનેક જૂની અને મધ્યયુગીન ગુજરાતી હસ્તપ્રતોનું સંપાદન કર્યું. તેઓ 1948 માં ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો અને 1963માં પ્રોફેસર એસોસિએશન ઑફ ગુજરાતીના અધ્યક્ષ તરીકે નિમાયા હતા. તેઓ ગુજરાત અને મુંબઈની અનેક કૉલેજના આચાર્ય તરીકે કાર્યરત હતા.
View cart “Kanhadade Prabandh-Saar” has been added to your cart.