ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીસંવેદનાના લેખિકા ડૉ. કલ્પના દવેએ ‘મન હોય તો’ ‘મૃગજળ’, ‘પાનખરે બાળી વસંત’, ‘સંઘર્ષ’ ‘મારું આકાશ ક્યાં’ ‘માય વેલેન્ટાઇન ગર્લ’ અને ‘આપણું સિયાચીન’ જેવાં 29 પુસ્તકો આપ્યાં છે. પ્રસ્તુત પુસ્તિકા ‘ન્યૂ લાઇફ, ન્યૂ વિઝન’ તેમના જીવનની સત્યકથા છે. ડૉ. કલ્પના દવેને બેસ્ટ ટીચર ઍવૉર્ડ, એમીનન્ટ સ્કૉલર ઍવૉર્ડ, શ્રેષ્ઠ કૃતિ માટે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, કલાગૂર્જરી (સ્થાપક સંસ્થા, મુંબઈ) તરફથી વિવિધ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
View cart “Isap Ni 50 Nitikathao” has been added to your cart.