આ દેશ સરદારને ફરીથી ઊંચા આસને બેસાડશે. ઈતિહાસ કેવળ હકીકતોની શરમ રાખે છે, ગેરસમજની નહીં. સરદારનું પુનરાગમન પૂર્વ દિશાની ઊઘડતી ઉષાના આછાં અજવાળામાં થઈ ચૂક્યું છે.
– ગુણવંત શાહ
વલ્લભભાઈ મને મળ્યા ન હોત, તો જે કામ થયું છે તે ન થાત. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો.
– મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિભાને અપાયેલી આ અંજલિ સૂચક છે. સરદાર પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેનું નામ સાંભળતાં જ દરેક ગુજરાતીનું માથું ગૌરવથી ઊંચું થઈ જાય. એક વ્યક્તિમાં જવલ્લે જ જોવાં મળતાં અનેક ગુણો જેમ કે, વ્યવહારદક્ષ, કાર્યદક્ષ, વ્યવસ્થાપક, સંગઠનકાર, પ્રેમાળ, ક્ષમાશીલ, ધૈર્યવાન, દાનવીર, ઉદાર, નિર્ભય, નીડર, એકાગ્ર, ગંભીર, સહનશીલ, નિષ્કામી, ત્યાગી, ધર્મપરાયણ, જ્ઞાની, ચતુર, ન્યાયી, અપરિગ્રહી તેઓ ધરાવતાં હતા.
દરેક ગુજરાતી માટે સરદારનું જીવન અને વિચારોને જાણવા અને સમજવા અનિવાર્ય છે. આ પુસ્તક એક અનોખાં અને ગૌરવશીલ રોલમોડલની તમને અનુભૂતિ કરાવશે.
Be the first to review “Upvastra Vinana Sadhu: Sardar Patel”
You must be logged in to post a review.