જીવનમાં સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓ આપણને સૌને હોય છે અને આપણે એમ માનીએ છીએ કે તેના ઉકેલો બહારથી જ મળશે.
કોઈ પણ સમસ્યાઓનું પાયાનું કારણ બહાર હોય છે એવું આપણી સંસ્કૃતિનું વેદાંતજ્ઞાન માનતું નથી. વેદાંત કહે છે કે `પોતા વિશેનું પાયાનું અજ્ઞાન’ જ મુખ્ય સમસ્યા છે. પોતે કોણ છે? તેની જ તેને ખબર નથી. અને પોતા વિશે તેને જે ખ્યાલ છે તે પાયામાંથી જ ખોટો છે. આ ખ્યાલ જ્યાં સુધી એ ન બદલે, ત્યાં સુધી બહારની સમસ્યા ક્યારેય નાબૂદ થવાની નથી, પરિણામે તે હેરાન જ થયા કરશે.
પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વના સાચા ખ્યાલની સમજ તો વેદાંત અને ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ ત્યારે જ આવે. વેદાંત એક ખજાનો છે. તેને સમજવા માટે સાધના કરવી પડે. આ ખજાનામાં રહેલ કીમતી રત્નોને સમજાવવાનો એક નાનો પણ મૂલ્યવાન પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પણ જો એકવાર આ પુસ્તકને તમે સમજી ગયા, તો તમારું જીવન ધન્ય થઈ જશે અને પળેપળ આનંદની જ અનુભૂતિ થયા કરશે!
Be the first to review “Sukhnu Upnishad”
You must be logged in to post a review.