ભારતીય ચિંતન અદ્ભુત છે. તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે.
આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી આપવામાં આવી છે. ભારતીય ચિંતન કહે છે કે પહેલાં સંભળાય કે વંચાય પછી તેનું સતત મનન થાય અને ત્યારબાદ તેના ઉપર ધ્યાન કરાય. ધ્યાન કરવું એટલે વિચારોને સતત મનમાં વાગોળ્યા કરવા. વિચારોને સતત વાગોળવાથી ધીમેધીમે એ વિચારો મનમાં ઊતરવા લાગશે અને વ્યક્તિત્વની સાથે એકરૂપતાનો અનુભવ કરાવશે. આવું બને ત્યારે સંભવ છે કે દિવ્ય અનુભૂતિનું દર્શન થાય. પ્રથમ નજરે આવું બનવું કદાચ કઠિન લાગે પણ સતત ચિંતન, મનન અને ધ્યાનની ક્રિયા તેને ચોક્કસ સંભવ બનાવી શકે.
મૌન, વિચારોનું સતત અધ્યયન અને ચિંતનમાં મન ડૂબી જવું જોઈએ, તેના મય થવાનું છે. આ પુસ્તકના લેખો એ અનુભૂતિ માટે ‘સ્વમાં ઝળહળતા અનંતની’ ઝાંખી કરાવે છે.
Be the first to review “Jagine Joun To…”
You must be logged in to post a review.