પુરાણો, ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાચી દ્રષ્ટિએ જોતાં શીખવાડતી કથા –
આ પ્રાચીન સમયની કથા છે. મહાભારતના યુદ્ધ પહેલાંનો તારકામય સંગ્રામ પુરાણ પ્રસિદ્ધ છે. મહાભારતની જેમ જ આ સંગ્રામ પણ ભાઈઓ વચ્ચેનો છે. જેમ મહાભારતના યુદ્ધમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્રો શંતનુના વંશજો છે તેમ જ તારકામય સંગ્રામમાં કશ્યપના વંશજો લડે છે. તેની સરખામણી Trojan War સાથે પણ કરાય એમ છે. તેમાં જેમ Paris દ્વારા Helenનું હરણ કરાયું છે તેમ અહીં ચંદ્ર દ્વારા તારાનું હરણ કરાયું છે અને તેને કારણે યુદ્ધ થાય છે.
કશ્યપને મુખ્ય ત્રણ પત્નીઓ હતી. અદિતિ, દિતિ અને દનુ. આમાં અદિતિના પુત્રો `આદિત્યો’ તરીકે ઓળખાય છે જે પછી પુરાણોમાં `દેવો’ ગણાવા લાગ્યા. દિતિના પુત્રો `દૈત્યો’ તરીકે ઓળખાય છે અને દનુના પુત્રો `દાનવો’ તરીકે ઓળખાય છે. આ ત્રણે બહેનો છે અને કશ્યપની પત્નીઓ છે. તેથી આદિત્યો, દૈત્યો અને દાનવો ભાઈઓ થાય. આ હું એટલાં માટે દર્શાવું છું કે આપણે ખોટી માન્યતાઓથી ન દોરવાઈએ. આદિત્યો, દૈત્યો અને દાનવો ભાઈઓ જ છે અને તેમની વચ્ચે ઘર્ષણ – યુદ્ધ થાય તેથી કાંઈ દાનવો કે દૈત્યો હીન બની જતા નથી.
આ નવલકથાની પાત્રસૃષ્ટિ ઘણાં બધાં પ્રતાપી પાત્રો ધરાવે છે, તેથી તેમની ભાષામાં દર્શન અને ચિંતનનું ગૌરવ પ્રયોજ્યું છે.
-પિનાકિન્ દવે
Weight | 0.2 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788194397717
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 216
Weight: 0.2 kg
Additional Details
ISBN: 9788194397717
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 216
Weight: 0.2 kg
Inspired by your browsing history
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.
Inspired by your browsing history
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.
Be the first to review “Parajit”
You must be logged in to post a review.