પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો જેટલી વાર્તાઓમાંથી ભરત ઠાકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢારેક વાર્તાની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી બતાવે છે.
પન્નાબહેનની સૃષ્ટિમાં સ્ત્રીઓની જ પીડાને વાચા મળી છે એવું નથી. આટલાં અને આવાં કથાવસ્તુ સાથે કામ પાડતાં પન્નાબહેનની વાર્તાઓની રચનારીતિમાં પણ વિવિધતા છે.
આ સંપાદન પન્ના ત્રિવેદીની સર્જનકળાનો હિસાબ છે તો સાથોસાથ ભરત ઠાકોરની પારખુ કળાદૃષ્ટિનો પણ ખ્યાલ આપે છે અને ભવિષ્યમાં બીજા વિદ્વાનોને એમની વાર્તાઓમાંથી આવાં અન્ય સંકલનો કરવાની દિશા પણ બતાવે છે. લેખક અને સંપાદક બંનેને શુભેચ્છાઓ.
– કિરીટ દૂધાત
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Panna Trivedinu Vartavishva”
You must be logged in to post a review.