જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના સ્વપ્નાં જોઈ રહ્યું હોય છે. એ સપનાંઓ પર વિશ્વાસ રાખજો, કારણ કે અનંતતાનું દ્વાર એમાં જ હોય છે.
શ્વાસોશ્વાસનો અંત આવવો એટલે શું? એ તો આધિ-વ્યાધિ-ઉપાધિઓના અજંપામાંથી શ્વાસને મુક્ત કરવા સમાન છે; અને એટલે જ મુક્ત થયેલ એ શ્વાસ વિસ્તરી, ભારવિહીન બનીને હળવાશપૂર્વક પ્રભુ સન્મુખ પહોંચી શકે.
Be the first to review “Vidayvani”
You must be logged in to post a review.