હું આ બધાં સ્મરણો અત્યંત રસપૂર્વક વાંચી ગયો, કેમ કે હું એ વાંચતો ગયો તેમ મને મારો બાલ્યકાળ, એનાં મસ્તી-તોફાનો, એના સાથીદારો અને ત્યારે માણેલા અનેક પ્રસંગો યાદ આવતા ગયા.
– ગુલાબદાસ બ્રોકર
‘બાળપણની આ કથા માત્ર લેખિકાની નથી, કારણ કે વાચકો ઝીલશે એમાં પોતાના જ બાળપણનો પડઘો, પોતાના અતીતની સ્મૃતિમાં સરી જતો હીંચકો.’
– તરુ કજારિયા
તત્કાલીન સમાજનું આબેહૂબ ચિત્રણ હોવાથી એનું સાહિત્યિક મૂલ્ય હોવા ઉપરાંત સામાજિક-ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
– પન્ના અધ્વર્યુ
આ સ્મૃતિચિત્રોની આસપાસ અગરબત્તીની સુગંધ જેવી એક આછી સુવાસ વીંટળાયેલી છે.
સાવ સરળપણે આલેખાયેલી, શૈશવના મુક્ત આનંદોની, ભય અને વિસ્મયની, અનુભવોની, આ કથા એક વીતી ગયેલા જમાનાને સજીવ કરે છે.
– ધીરુબહેન પટેલ
બાળપણનાં સોનેરી-રૂપેરી મેઘધનુષી દિવસોનાં, ઊઘડતી કળી જેવાં કોમળ સંસ્મરણોની સુગંધથી મન મહેકી ઊઠ્યું.
– કુન્દનિકા કાપડિયા
આ પુસ્તક સાથે હું સહેલાઈથી જોડાઈ શકું તેમ છું.
– નારાયણ દેસાઈ
Be the first to review “Anjani, Tane Yaad Chhe?”
You must be logged in to post a review.