“પેટે પાટા બાંધીને તારાં મા-બાપ તને શાન્તિનિકેતન મોકલી રહ્યાં છે. મન દઈને ભણજે, દીકરા !” લેખકના દાદીએ લેખકને કહેલું. એ મન દઈને ભણ્યા કે નહીં એ તો આપણે નથી જાણતા, પણ આ પુસ્તક જરૂર મન દઈને લખ્યું છે. એથી, જ એ આપણા -અંતરમનના ઊંડાણને સ્પર્શે છે અને એની નિચ્છલતા આપણને મોહિત કરે છે.
નર્મદા-પરિક્રમાનાં પુસ્તકોથી ખૂબ જાણીતા થયેલા ચિત્રકાર-લેખક અમૃતલાલ વેગડ કલાકારોની જન્મભૂમિ સમાં શાન્તિનિકેતનમાં પાંચ વર્ષ રહ્યા. પહેલાં એ આપણને નર્મદાના સૌંદર્યલોકમાં લઈ ગયા. હવે જાણે કે કાળમાં સુરંગ ખોદીને, અડધી સદી પહેલાંના શાન્તિનિકેતનના સૌંદર્યલોકમાં લઈ જાય છે. આ પુસ્તકનો વૈભવ, લેખકનાં અન્ય પુસ્તકોની જેમ, એની રસળતી, રસ ઝરતી બાનીમાં
અને એના સાદગીપૂર્ણ સૌંદર્યમાં છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858211
Month & Year: March 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 190
Weight: 0.2 kg
Additional Details
ISBN: 9789389858211
Month & Year: March 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 190
Weight: 0.2 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Smrutio Nu Shantiniketan”
You must be logged in to post a review.