અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ
અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક!
છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે.
માણસને બહારના ઉઘાડ અને બહારના ઉજાશનું આકર્ષણ હોય છે, એના બદલે જો એને અંદરના ઉઘાડનું અને અંદરના ઉજાશનું આકર્ષણ રહેતું હોય તો જીવનમાં એ ક્યારેય ભૂલો નહીં પડે.
વિખ્યાત વિજ્ઞાની કાર્લ પ્રિબ્રામ કહે છે કે માણસને સમજવો હોય તો સૌથી પહેલાં વાયોલિનને સમજવું પડે. ઉત્તમ વાયોલિનમાં જે શક્યતાઓ પડેલી છે એવી જ શક્યતાઓ માણસની અંદર પડેલી છે. જરૂર છે એ શક્યતાઓને શોધવાની, ઢંઢોળવાની! આ પુસ્તક એ બધી શક્યતાઓને શોધી આપવાનું ઋષિકાર્ય કરે છે.
પુસ્તકમાં ક્યાંક જિંદગીનું સ્મિત જોવા મળે છે, ક્યાંક ઉલ્લાસનો ઉજાશ જોવા મળે છે તો ક્યાંક ઢળતા સૂરજના અજવાળામાં નવી પરોઢનો ઉઘાડ જોવા મળે છે. એકવાર આ પુસ્તક વાંચશો તો જેને તમે બહાર શોધતા ફરો છો એ જ તમને તમારી અંદરના ઉઘાડમાં અને અંદરના ઉજાશમાં મળી જશે!
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298754
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 164
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789390298754
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 164
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.15 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Andar No Ughad, Andar No Ujas”
You must be logged in to post a review.