Ajwalani Kshan

Category Poetry
Select format

In stock

Qty

કવિ નીતિનભાઈ સંવેદનસભર અને પ્રસન્ન વ્યક્તિ છે. એક મોટી ગ્લોબલ કંપનીના ફાઇનાન્સ હેડ તરીકેની જવાબદારીના ભારણ વચ્ચે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે, કવિતાને પોતાની અભિવ્યક્તિનું વાહન બનાવવા જેટલી મોકળાશ શોધી શકેલા કવિને અભિનંદન આપીએ. આ સંગ્રહના પાને પાને વિચારોની તાજગી અને અંતરમનની નિર્મળતા છલકાય છે. એમની કવિતાઓ વેદનાની આછી લકીર સાથે સંવેદનાની લહેરખી લઈને આવે છે. કેવી પ્રેરક પંક્તિઓ આ કવિ લખી શકે છે!

મોટામાંથી નાના બનીએ,
માણસ આજ મજાના બનીએ.

અંદરનાં દ્વારો ખોલીને,
નીકળી બહાર બધાંના બનીએ.

દુનિયાના ઉદ્ધારક બનવા,
ઉદ્ધારક પોતાના બનીએ.

કવિતા જન્મે એ ક્ષણ અજવાળાની ક્ષણ જ હોય છે ને? એમનો બીજો કાવ્યસંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ આવી જ ક્ષણોથી બનેલો પ્રકાશપુંજ છે. નીતિન પારેખ જેવા કવિઓની આવી સૌમ્ય અને સકારાત્મક કવિતાઓને કારણે આ દુનિયા છે એના કરતાં વધારે સુંદર બને છે એમાં કોઈ શક નથી.

– ડૉ.રઈશ મનીઆર

SKU: 9789395550222 Category: Tags: , , ,
Weight0.35 kg
Binding

Hardcover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ajwalani Kshan”

Additional Details

ISBN: 9789395550222

Month & Year: February 2025

Publisher: BOLD

Language: Gujarati

Page: 198

Weight: 0.35 kg

1961માં જામનગરમાં જન્મેલા શ્રી નીતિનભાઈનું ધોરણ-3 સુધીનું શિક્ષણ જામનગરમાં થયેલ. ત્યારબાદ ધોરણ-4થી શરૂ કરીને પછીનો બધો અભ્યાસ અમદાવાદ ખાતે કરેલ છે. શરૂઆતમાં ભણવામાં સામાન્ય વિદ્યાર્થી… Read More

Additional Details

ISBN: 9789395550222

Month & Year: February 2025

Publisher: BOLD

Language: Gujarati

Page: 198

Weight: 0.35 kg