એ. એસ. નીલના નામે જાણીતા સ્કૉટિશ સજ્જન નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ અને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી `સમરહીલ સ્કૂલ’ મુક્ત બાળવિકાસ માટેની ક્રાંતિકારી શાળા ગણાય છે. નીલ દ્વારા લિખિત એક બહુ જ વિશિષ્ટ પુસ્તકનો બાળકોના મુછાળી મા કહેવાતા ગિજુભાઈએ અનુવાદ કર્યો છે. દરેક કિશોર, વાલી અને શિક્ષકને ઉપયોગી થઈ શકે એવું આ એક સુંદર પુસ્તક છે.
આ પુસ્તકમાં શિક્ષક એના પાંચ કિશોર વિદ્યાર્થીઓને તથા મિત્ર પિક્રફૅટને એક વાર્તા કહે છે. એમાં કિશોરો માત્ર વાર્તા સાંભળનાર શ્રોતાઓ જ નથી, વાર્તામાં ભાગ લેનાર પાત્રો પણ છે – એવી લાક્ષણિક ઢબે વાર્તા કહેવાય છે. વાર્તા એટલે શિક્ષકે કહેલી કાલ્પનિક વાર્તા અને વચ્ચે વાતચીત એટલે બાળકોની એના પર મજાક-મસ્તી ભરેલી ટિપ્પણ. પુસ્તકમાં વારાફરતી આ વાર્તા અને વચ્ચે વાતચીત આવ્યા કરે છે, પણ એ અટપટું બનવાને બદલે કંઈક નવી રીતે રસ પમાડનાર અનુભવ બને છે.
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Rakhadu Toli”
You must be logged in to post a review.