દરેક માણસ પોતાની સાથે વાતો કરતો હોય છે. જાત સાથેનો સંવાદ જેટલો સમૃદ્ધ અને સક્ષમ હોય એટલી જિંદગી બહેતર બને છે. માણસ જ્યારે પોતાની નજીક જાય છે ત્યારે જ તેને જિંદગી સમજાય છે. આપણે બહારની વધુ ચિંતા કરીએ છીએ અને અંદર જોવાની તસદી જ નથી લેતાં! આપણાં સુખ, દુ:ખ, પીડા, વેદના, વ્યથા, આનંદ, ખુશી સહિત તમામ સંવેદના માટે છેલ્લે તો આપણે જ જવાબજદાર હોઈએ છીએ. માણસ ક્યારેય બહારનાં તત્ત્વોને પોતાના કાબૂમાં કરી શકવાનો નથી. માણસ ધારે તો પોતાને ચોક્કસ કાબૂમાં કરી શકે છે. પોતાને કાબૂમાં કરવાની પ્રક્રિયા એક રીતે જોવા જઈએ તો પોતાને મુક્ત કરવાની જ એક રીત છે. જે પોતે મુક્ત છે, એ જ ખરા અર્થમાં આઝાદ અને સ્વતંત્ર હોય છે. આ પુસ્તકમાં પોતાને જાણવાની, માણવાની, ઓળખવાની અને સરવાળે જિંદગી જીવવાની વાત છે. દુનિયામાં અત્યારે સૌથી મોટી સમસ્યા રિલેશનશિપ ક્રાઇસિસની છે. દરેક લોકોને સંબંધોના સવાલો સતાવી રહ્યા છે. ચિંતનની પળે કૉલમના ચુનંદા લેખોના આ પુસ્તકમાં સંબંધોના આવા કેટલાક સવાલોના જવાબો આપવાનો પ્રયાસ થયો છે.
Weight | 0.23 kg |
---|---|
Binding | Hard Cover |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361975851
Month & Year: June 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 180
Weight: 0.23 kg
Additional Details
ISBN: 9789361975851
Month & Year: June 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 180
Weight: 0.23 kg
Be the first to review “Jat Sathe Vaat”
You must be logged in to post a review.