માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો છે. વાસ્તવમાં જે સુખ છે એ તો કંઈક અલગ જ છે!
અહીં પાયાનો સવાલ એ થાય કે એ સુખ એટલે કેવું સુખ? એ ક્યાં અને કેવી રીતે મળે? એને મેળવવા માટે શું શું કરવું પડે?
મિત્રો, તમારા હાથમાં જે પુસ્તક છે, એમાં આ બધા સવાલોના જવાબો સમાયેલા છે. તમે જે સુખની શોધમાં નીકળ્યા છો એ સુખનું સરનામું તમને આ પુસ્તક પૂરું પાડશે! સુખના શિખર પર પહોંચવા માટે એકવાર આ પુસ્તકની સાક્ષીએ `સુખની યાત્રા’ શરૂ કરો, જુઓ પછી ચમત્કાર! તમારે સુખને નહીં શોધવું પડે, સુખ તમને જ શોધતું શોધતું દોડી આવશે!
Be the first to review “Sukh Ni Yatra”
You must be logged in to post a review.